કેન્સર સામે જંગ લડતા પરિવારોને હૂંફ, હિંમત અને માહિતી આપવાનું મિશન

એ સમય હતો વર્ષ 2011નો હતો. મારા પતિ નીલેશ જાનીને કેન્સરની બીમારીનું નિદાન થયું. ઓપરેશન, દવાઓ, રેડિએશન આ બધાને પહોંચી વળવા માટે લાખો રૂપિયાની જરૂરત ઊભી થઈ. અમારાં પર તો જાણે આભ તૂટી પડ્યું. એ પછી પારાવાર સંઘર્ષ કરીને તેમને કેન્સરમાંથી મુક્ત કર્યા....

રાજકોટના દિવ્યાંગ યુવાને આઠમી વખત ગિરનાર સર કર્યો

અડગ મનના માનવીને, હિમાલય પણ નથી નડતો! આ ઉક્તિને સાર્થક કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ચાવડના વિપુલભાઈ બોકરવાડિયા. 39 વર્ષના વિપુલભાઈએ માત્ર બે વર્ષની વયે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા હતા. તેમ છતાં તેમણે હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું...

ભુજ મંદિરના સ્વામી પ્રેમપ્રકાશદાસજીનું નિધન

શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજના સંત સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી તા. 2 માર્ચના રોજ અક્ષરધામ સિધાવ્યા છે. 

અનંત-રાધિકાની મિત્રતા પરિણયમાં પરિણમીઃ અનંત અંબાણી કચ્છના જમાઇ બન્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ એન્કોર હેલ્થકેરના સીઇઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ છે. વિરેન મર્ચન્ટ મુકેશ અંબાણીના મિત્ર છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈની...

ભાદરણના કૌશલ્યાબહેન પટેલનું નિધન

ભાદરણના જાણીતા સમાજસેવક વિનોદભાઇ પટેલના જીવનસાથી કૌશલ્યાબહેન પટેલનું ટૂંકી બીમારી બાદ આઠમી માર્ચના રોજ નિધન થયું છે.

મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી

ચરોતરના ભાદરણ ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાલ મહાદેવ મંદિર મહા શિવરાત્રી પર્વની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.

‘બધા મોદી’એ પહેલાં રાહુલને ‘બેકાર’ કર્યા, હવે ‘બેઘર’ કરશે

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ‘બધા મોદી’ને ચોર કહેવાનું ભારે પડી ગયું છે. સુરતની કોર્ટે તેમને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષ કેદની સજા ફરમાવ્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમનું સંસદસભ્ય પદ રદ કરી નાંખ્યું છે. આ સાથે જ તેમને દિલ્હી સ્થિત...

ડો. પુરોહિતનો જીવનમંત્ર છેઃ દર્દીની સેવા

નવસારીના આ ડોક્ટરની ઉંમર 92 વર્ષ છે, પણ જુસ્સો 29 વર્ષના યુવાનને પણ શરમાવે તેવો છે. આજકાલના યુવા તબીબો ગામડાંગામમાં જઇને દર્દી-નારાયણની સેવા કરવા જવાનું કોઇને કોઇ પ્રકારે ટાળતા રહે છે, ત્યારે આ ડોક્ટર સાહેબ દરરોજ 40 કિમીનું અંતર કાપીને ગામડાંમાં...

ઉત્તર ગુજરાતમાં દબદબો વધારવા ભાજપે કમર કસી છે

ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ છે. ઉત્તર ગુજરાતની કુલ 27 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસ પાસે જ્યારે 12 બેઠકો ભાજપ પાસે છે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ રાસ બિહારી મણિયારનું અવસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને બી.એન. હાઇસ્કૂલમાં 1956થી 1965 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર રાસબિહારી મણિયારનું 93 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં શિક્ષકો તેમજ વડનગર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter