ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા કેટલાક સમયથી ભલે ટીમ ઇન્ડિયા બહાર ભલે હોય, આ ટેક્નિકલી કાબેલ બેટરે વાપસીની આશા છોડી નથી. ઘરેલુ ક્રિકેટમાં પુજારા સતત સારો દેખાવ કરે છે. આઇપીએલ પછી ટીમ ઇન્ડિયા આગામી દિવસોમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ...
રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
ચરોતર પ્રદેશની સુપ્રસિદ્ધ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધામાં નવું છોગું ઉમેરાયું છે. હોસ્પિટલની સર્જિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે 6 નવા અત્યાઆધુનિક ઓપરેશન થિયેટરના 12 મેના રોજ ઉદ્ઘાટન કરાયા છે.
નવસારી જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ-ટેનમાં દેશના ટોચના ધનિકો સામેલ થાય છે, પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ તૈયાર થયું છે. જેમાં ઊડીને આંખે વળગતું એક નામ સહુ કોઇને આશ્ચર્યચકિત કરી ગયું અને તે નામ છે, સોલાર કિંગ તરીકે જાણીતા...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...